એશિયા કપમાં પાકિસ્તાન સામેની બ્લોકબસ્ટર મેચ પહેલા, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે તે 2019 વર્લ્ડ કપ દરમિયાન બાબર આઝમને પહેલીવાર મળ્યો હતો, ત્યારે તેણે વિચાર્યું હતું કે તે પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે અને તેનામાં ગુણો રહેલા છે. એક ખેલાડી ખૂબ આગળ વધશે. કોહલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, બાબર આઝમ સાથે પહેલી વાત એ છે કે 2019 વર્લ્ડ કપ પછી અમે બેસીને ઘણી વાતો કરી. તેમનું ઘણું સન્માન હતું, જે વિશ્વ ક્રિકેટમાં આટલું સારું પ્રદર્શન કર્યા પછી પણ બદલાયું નથી. તે સરળ વ્યક્તિત્વ વાળો છે, મને લાગ્યું હતું કે તે એક ખેલાડી તરીકે ઘણો આગળ વધશે.
બાબર આઝમ 2022માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે ODI અને T20I ફોર્મેટમાં વિશ્વનો પ્રથમ અને ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજો બેટ્સમેન છે. આઝમે આ વર્ષે તમામ ફોર્મેટમાં 15 મેચ રમી છે અને 19 ઇનિંગ્સમાં 78.11ની એવરેજથી 1,406 રન બનાવ્યા છે. તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર 196 છે. આ વર્ષે તેણે પાંચ સદી અને દસ અડધી સદી ફટકારી છે. કોહલીએ કહ્યું તેની પાસે અદભૂત પ્રતિભા છે અને મને હંમેશા તેની રમતા જોવાનું પસંદ છે. તે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મારા પ્રત્યેનું એનું વલણ બદલાયું નથી. આ તેના માટે તેનો પાયો ખૂબ જ મજબૂત છે.
આ પહેલા કોહલીએ પોતાના બ્રેક પર વાત કરતા કહ્યું હતું કે હું માનસિક રીતે કમજોર હતો તે સ્વીકારવામાં મને કોઈ સંકોચ નથી. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર મેં એક મહિના સુધી મારા બેટને હાથ પણ નથી લગાવ્યો
