New Delhi News/ વક્ફ બોર્ડનો દેશની 994 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો : કેન્દ્ર સરકાર

New Delhi News: સરકારે સંસદમાં કર્યો ખુલાસો ; 2019 પછી કેન્દ્રે વકફ બોર્ડને કોઈ જમીન આપી નથી, રાજયોએ કરેલી ફાળવણી વિશે અજાણ, સૌથી વધુ 734 ગેરકાયદે કબ્જો તમિલનાડુમાં છે, પેનલે તમામ રાજયો પાસેથી વકફની વિવાદીત સંપતિઓની માહિતી મંગાવી છે.

India Top Stories Breaking News
Copy of Cricket Tutorials YouTube Thumbnail 14 વક્ફ બોર્ડનો દેશની 994 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો : કેન્દ્ર સરકાર

New Delhi News : ભારતમાં વકફ બોર્ડની સંપતિઓ વિશે ચાલતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં જાહેર કર્યુ હતું કે દેશમાં 994 સંપતિઓ પર વકફ બોર્ડનો ગેરકાયદેસર કબ્જો છે. સંસદમાં માર્કસવાદી નેતા જોન બ્રિટાસ(Jon Britas) ના વકફ બોર્ડના સવાલના લેખિત જવાબમાં લઘુમતી બાબતોના મંત્રાલયે કહ્યું કે વકફ બોર્ડ અધિનિયમ હેઠળ દેશમાં 8,72,352 સ્થાવર તથા 16,713 જંગમ મિલ્કતો છે. 994 મિલ્કતો પર વકફ બોર્ડે ગેરકાયદેસર કબ્જો છે.

તેમાંથી માત્ર તમિલનાડુમાં જ વકફ બોર્ડનો 734 સંપતિનો સમાવેશ થાય છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉતરાખંડમાં 11 તથા જમ્મુ-કાશ્મીરમાં 10 સંપતિ પરનો વકફ બોર્ડનો કબ્જો ગેરકાયદેસર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં વકફ બોર્ડ સુધારા વિધેયક રજુ કર્યુ હતું. તેમાં ઉગ્ર ચર્ચા બાદ સંયુક્ત સંસદીય સમિતિને હવાલે કરી દેવામાં આવ્યું હતું. સરકારે એવી ચોખવટ કરી હતી કે સૂચિત વકફ બોર્ડ કાયદો મસ્જીદોના કામકાજમાં હસ્તક્ષેપ કરવા માટે નથી. પરંતુ વિપક્ષોએ મુસલમાનોને નિશાન બનાવવાનો તથા બંધારણ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.

ગત સપ્તાહમાં જેપીસી(JPC)ના અધ્યક્ષ જગદંબિકા(Jagdambika) કહ્યુ હતું કે સમિતિએ રાજય સરકારો પાસેથી વિવાદીત વકફ સંપતિઓની વિગત માંગી છે. મહારાષ્ટ્રમાં ખેડુતોએ એનો આરોપ કર્યો હતો કે વકફ બોર્ડ ખેડુતોની જમીન આંચકી લેવા પ્રયત્નશીલ છે. 300 એકર જમીન પર ખેડુતો દાયકાઓથી ખેતી કરે છે, પરંતુ વકફ બોર્ડે 103 ખેડુતોને નોટિસ મોકલી છે.

બીજી તરફ કેન્દ્રીય શહેરી બાબતો તથા આવાસ મંત્રાલય દ્વારા રાજયસભામાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે 2019 પછી કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડને કોઈ જમીન ફાળવવામાં આવી નથી. જો કે, 2019 પછી રાજયોની સરકારોએ વકફ બોર્ડને જમીન ફાળવી હોય તો તેનો ડેટા કેન્દ્ર સરકાર પાસે નથી. કેન્દ્ર સરકારે 2019 પછી વકફ બોર્ડને કોઈ જમીન આપી નથી. જમીન એ રાજયોનો વિષય છે અને રાજય સરકારો વકફ બોર્ડને જમીન આપતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આંધ્રપ્રદેશ સરકારે કર્યો વકફ બોર્ડનો ભંગ

આ પણ વાંચો: ગુજરાત રાજય, વકફ બોર્ડના તત્કાલીન સી.ઈ.ઓ વિરૂધ્ધ મોટી રકમની લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી ACB

આ પણ વાંચો: વકફ સુધારા બિલ 2024: જમિયત ઉલેમા-એ-હિંદ અને સંયુક્ત સંસદીય સમિતિની બેઠક, વિપક્ષી સાંસદોએ બહિષ્કાર કર્યો