Operation Sindoor: આજે સંસદના ચોમાસુ સત્રમાં પહેલગામ હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ પર ગરમાગરમ ચર્ચા થવાની તૈયારી છે.

આ ચર્ચા પહેલા, કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરાશે. પહેલા અઠવાડિયાના હોબાળા પછી, શાસક ગઠબંધન અને વિપક્ષ આમને-સામને આવશે. સહારનપુરના કોંગ્રેસ પાર્ટીના સાંસદ ઇમરાન મસૂદે ભાજપ સરકારને પૂછ્યું છે કે આતંકવાદીઓ ભારતમાં કેવી રીતે ઘૂસ્યા અને તેમણે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો અને તેઓ કેવી રીતે ચાલ્યા ગયા.

જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા.
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતનું લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું, સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર આ મુદ્દાઓ પર બોલશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના નિવેદન વિશે પૂછવામાં આવતા, ઇમરાન મસૂદે કહ્યું, જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા, તો આપણી સરહદ કેવી રીતે સુરક્ષિત છે? અને જો તેઓ આવ્યા અને ગયા, તો તમે મને કહો, હું તમને પ્રશ્ન કરીશ, શું તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા કે હવામાં છોડવામાં આવ્યા?
આ પણ વાંચો:આજે દિલ્હી-NCRમાં પડશે ભારે વરસાદ, યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં ભારે મેઘમહેરની ચેતવણી
આ પણ વાંચો:જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન
