Himmatnagar News:સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) તાલુકાના હાંસલપુર ગામ નજીક એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં એક આધેડનું પાણીના વહેળામાં ડૂબી જવાથી મોત (Death) થયું છે. આ ઘટના બાદ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે સાત કલાકની સઘન શોધખોળ બાદ મૃતકની લાશ શોધી કાઢી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
સ્થાનિક સૂત્રો અનુસાર, હાંસલપુર ગામ નજીક આવેલા પાણીના વહેળામાં આધેડ ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે લગભગ સાત કલાકની મહેનત બાદ મૃતકની લાશને શોધી કાઢી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વીરપુર ગામનો રહેવાસી હતો. જોકે, મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઘટનાની જાણ થતાં હિંમતનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ ઘટનાને અકસ્માત તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે
