ભારતીય સેનામાં વધી રહેલા હનિટ્રેપનાં કિસ્સાને કારણે સેના પોતાનાં જવાનો અને અધિકારીઓને વારંવાર સતર્કતાનાં સંદેશ અને સૂચનો પાઠવી રહી છે. ત્યારે આજે ફરીભારતીય સૈન્ય દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ભારતીય સૈન્ય દ્રારા જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સ દ્વારા વોટ્સએપ જૂથોમાં તમારો નંબર ઓટોમેટીક રીતે ઉમેરી દેવામાં ન આવે તે માટે વ્હોટ્સએપ સેટિંગ્સ બદલવા માટે કર્મચારીઓને સલાહ આપવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, ભારતીય સૈન્યનાં એક વ્યક્તિને એક શંકાસ્પદ પાકિસ્તાની નંબર દ્વારા આપમેળે એક વોટ્સએપ જૂથમાં ઉમેર્યા પછીભારતીય સૈન્ય દ્વારા આ સલાહકારી જાહેર કરવામાં આવી છે.
Indian Army issues advisory to personnel to change Whatsapp settings to avoid being added to Whatsapp groups by Pakistani Intelligence Operatives. Advisory issued after an Army person was added to a Whatsapp group automatically by a suspected Pakistani number. pic.twitter.com/NPGrrhIRAQ
— ANI (@ANI) November 22, 2019
