Not Set/ રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ….

હનુમાનજીએ  રામના પરમ ભક્ત અને સાથી માનવામાં આવે છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. હનુમાનજી ભગવાન રામના ખૂબ જ પ્રિય હતા. ભગવાન રામની કોઈ પણ વાત હનુમાનજી ટાળતા નાં હતા. દિવસ રાત હનુમાન પોતાના ભગવાનની સેવામાં રહેતા હતા.

Dharma & Bhakti
ratna 1 રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ....

ભગવાન રામ અને તેમના પરમભક્ત હનુમાનજીની ઘણી વાર્તાઓ અત્યારસુધી આપને વાંચી કે સાંભળી હશે. પરંતુ આજે આપને હનુમાન જી અને રામ નીએક અલૌકિક અને અદ્ભુત વાર્તા વાંચીશું. જેમાં રામ કે રામ નામ બે માંથી મોટું કોણ ? તે તરફ દિશા નિર્દેશ કરેલો છે.

હનુમાનજીએ  રામના પરમ ભક્ત અને સાથી માનવામાં આવે છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. હનુમાનજી ભગવાન રામના ખૂબ જ પ્રિય હતા. ભગવાન રામની કોઈ પણ વાત હનુમાનજી ટાળતા નાં હતા. દિવસ રાત હનુમાન પોતાના ભગવાનની સેવામાં રહેતા હતા.

એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. આ દરબારમાં બધા વરિષ્ઠ ગુરૂ અને દેવતાઓ હાજર હતા. ત્યાં એક ખાસ વાત પર ચર્ચા ચાલી રહી હતી. અને વાત જાણે  એમ હતી કે  રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ. દરેક લોકો પોત પોતાના મંતવ્ય આપી રહ્યા હતા. જ્યાં દરેક લોકો રામને વધારે શક્તિશાળી માની રહ્યા હતા. જયારે નારદ મુનિનો મત એકદમ અલગ હતો.

નારદ મુનિએ કહ્યું કે રામ નામ વધારે શક્તિશાળી છે. તે વખતે હનુમાનજી એકદમ ચુપ બેઠા હતા. નારાદ મુનિનો મત કોઈ સાંભળી રહ્યું ન હતું. એ પછી જયારે સભા પૂરી થઈ ત્યારે નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે તે દરેક ઋષિ મુનિઓને નમસ્કાર કરે. પરંતુ ઋષિ વિશ્વામિત્રને ન કરે. હનુમાનજીને સમજ ન આવ્યું ત્યારે તેમણે નારાદ મુનિને પુછ્યુ કે તે ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કેમ ન કરે? નારદ મુનિએ કહ્યું કે તેમને ઋષિઓમાં ન ગણવામાં આવે કારણ કે તે પહેલા રાજા હતા.

નારાદજીની વાત હનુમાનજીએ માની લીધી. તેમણે દરેક ઋષિઓને નમસ્કાર કર્યું પરંતુ વિશ્વામિત્રને નમસ્કાર ન કર્યું. આ જોઈ વિશ્વામિત્ર ખૂબ ક્રોધિત થઈ ગયા. તેના પર વિશ્વામિત્રએ રામને હનુમાનની ભુલ પર સજા આપવા કહ્યું. તેમણે કહ્યું કે હનુમાનને મોતની સજા આપવામાં આવે. વિશ્વામિત્ર શ્રી રામના ગુરૂ હતા અને તે તેમની વાત ટાળી ન હતા શકતા. એવામાં શ્રી રામે હનુમાનને મારવાનો નિર્ણય કર્યો.

જયારે હનુમાને નારદ મુનિને આ સમસ્યાનું સમાધાન પુછ્યું. તેના પર નારદ મુનિએ કહ્યું કે તે રામ નામ જપવાનું શરૂ કરી દ્યો. હનુમાને રામ નામ જપવાનું શરૂ કરી દીધુ. શ્રીરામે હનુમાન પર પોતાનું ઘનુષ બાણ તાણ્યુ. પરંતુ તે તીરે હનુમાનજીને નુકશાન ન પહોંચાડ્યું. પછી હનુમાનજી પર બ્રહ્માન્ડમાંથી સૌથી શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પણ કોઈ પ્રભાવ ન પડ્યો. એ બધું જોઇને નારદ મુનિએ ઋષિ વિશ્વામિત્ર પાસે હનુમાનજીને ક્ષમા કરવાની માંગ કરી. ત્યારે છેવટે વિશ્વામિત્રએ હનુમાનજીને ક્ષમા કર્યા અને સમસ્યાનું સમાધાન થઇ ગયું.