Politics/ કોરોનાની રસી આવી તેની સાથે હવનમાં હાડકાં નાખનારા આવી ગયા : નીતિન પટેલ

ગાંધીનગરના કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આડકતરી રીતે વિરોધીઓને આડે હાથ લીધા હતા. કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર

Top Stories Gujarat
1

ગાંધીનગરના કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આડકતરી રીતે વિરોધીઓને આડે હાથ લીધા હતા. કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોરોનાની રસી આવી એની સાથે જ હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો આવી ગયા છે. પહેલાંના સમયમાં પણ આવા રાક્ષસો હતા, હાલ પણ છે. ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઈશારો કોના તરફ છે.

Bollywood / કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ આ કારણે અસ્થાઈ રૂપે બંધ કરવામાં આવ્યું

આજે તેઓ અનોખા હળવા અંદાજમાં જોવા મળ્યા હતા અને વિરોધીઓને જ દેખાયા હતા.નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને પંચાતિયા ગણાવતાં કહ્યું કે, ‘વેક્સીન અમે પહેલાં લીધી હોત તો પણ તેઓ વિરોધ કરત. નથી લીધી તો કોંગ્રેસના પંચાતિયા કહે છે કે કેમ ના લીધી ?કલોલમાં આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાયું છે. જેમાં OPD વિભાગ, IPD વિભાગ, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ હશે. અંદાજીત 3 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું છે. જેમાં સાંસદ અમિત શાહ તરફથી વધારાના 72 લાખના સાધનો હોસ્પિટલને પ્રાપ્ત થયા છે.

કૃષિ આંદોલન / ટ્રેક્ટર માર્ચને લઇને SC નો મોટો નિર્ણય, જાણો શું કહ્યુ?

આ કાર્યક્રમમાં કૉંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કૉંગ્રેસનાં સમયમા ગરીબોને સારવાર ન્હોતી મળતી. ગરીબો સારવાર વગર જ ગુજરી જતા હતા. સારવારનો ખર્ચ જ એટલો થતો કે ગરીબો દેવાદાર બની જતા હતા. કૉંગ્રેસે ગરીબો માટે કંઇ કામ કર્યું નથી. આજે ભાજપ સરકારે મા વાત્સલ્ય યોજના થકી ગરીબોની સારવાર ફ્રી કરી દીધી છે. તો ગાંધી પરિવાર પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહારો કર્યાં કે, કૉંગ્રેસે એક પરિવારને જ આપ્યું છે. પહેલા દાદા પુત્ર પૌત્ર અને હવે ભાણિયા અને ભત્રીજાને આપી રહી છે.ચાલુ વક્તવ્યમા નાયબ મુખ્યમંત્રીનું માઈક બગડ્યું હતું. ત્યારે રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે. આમ પણ હુ હોવ ત્યાં કંઇ બાકી ન રહે. કલોલ માટે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, હું કલોલનું મારા મહેસાણા અને કડી જેટલું જ ધ્યાન રાખું છું. કલોલવાળા તમે ધ્યાન રાખો કે ન રાખો હુ રાખું છું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…