નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કામાં પીએમ મોદીના સંસદીય મતક્ષેત્ર વારણાસી સહિત સાત જિલ્લાની 40 વિધાનસભા ક્ષેત્રોમાં આજે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આ તબક્કામાં ગાજીપુર,વારણાસી,ચંદોલી,મિર્જાપુર,ભદોહી, સોનભદ્ર અને જોનપુરમાં ‘ કરો યા મોર’ જેવી પરિસ્થિતિ પર ચાલી રહેલી ચૂંટણીમાં ચાલી રહેલો ચૂંટણી પ્રચાર સાંજથી બંધ થઇ જશે. આ જિલ્લાઓમાં 8 માર્ચે વોટિંગ થવાના છે.
છેલ્લા તબક્કામાં મહત્વનો અંદાજમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખુદ પ્રધાનમંત્રી મોદી વારણાસીમાં હાજરી છે. તેઓ રોડ શો કરી રહ્યા છે. જનસભા કરી રહ્યા છે. તમામ દળો પૂર્વી ઉત્તર પ્રદેશની જીતનો દરવાજો માની રહ્યા છે. બહુજન સામજવાદી પાર્ટીના સુપ્રિમો માયાવતીના વોટની નજર ખાસ કરીને મુસ્લીમ વોટરો પર છે. તેમને ખાતરી છે કે, પૂર્વી ભાગમાં મુસલમાન બસપાના પક્ષમાં મતદાન કરશે.
આ તબક્કામાં ત્રણ નક્સલ પ્રભાવિત જિલ્લાનો પણ સમાવેશ થાય છે. સોનભદ્ર,, મિર્જાપુર અને ચંદોલીમાં સુરક્ષાબળોઅલર્ડ છે. સાત તબક્કામાં વોટોની ગણતરી 11 માર્ચના રોજ થશે. છેલ્લા તબક્કામાં 1.41 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાથી 64.76 લાખ મહિલા અને કુલ 14,458 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.