પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બની હોવાથી હવે અન્ય ટીમો આગામી સમયમાં પાકિસ્તાનમાં રમવા
માટે આવશે તેવો સરફરાઝ અહેમદે આશાવાદ વ્યક્ત કર્યો છે. જોકે, વિજયના ઉન્માદમાં સરફરાઝ અહેમદ એ વાત
ભૂલી ગયો કે છાસવારે પાકિસ્તાનમાં આતંકી હૂમલા થતાં હોવાથી ત્યાં જઇને જીવ સાથે જુગાર રમવાથી અન્ય ટીમો
ટાળી રહી છે, નહીં કે તેમની ટીમ બાંગલાદેશ કે અફઘાનિસ્તાન જેવી નબળી છે એટલે.