કોરોનાકાળથી બોલિવૂડ હસ્તિ પણ બચી શકી નથી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બોલિવૂડનાં દિગ્ગજ દિલીપ કુમારનાં નાના ભાઈનું નિધન થયું છે. દિલીપકુમારનાં નાના ભાઈ, અહસાન ખાનનું બુધવારે મોડી રાત્રે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આ અંગેની જાણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. અહસાન ખાનનું મોત કોરોના વાયરસના ચેપને કારણે થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
દિલીપકુમારનાં નાના ભાઈ, જે કોવિડ -19 ની સારવાર લઈ રહ્યા હતા, 90 વર્ષિય અહસાન ખાન પણ હૃદય સંબંધિત રોગો, હાયપર ટેન્શન અને અલ્ઝાઇમરથી પીડાતા હતા. અહસાસ ખાન પહેલાં દિલીપ કુમારના અન્ય નાના ભાઈ અસલમ ખાનનું પણ કોરોના ચેપને કારણે મોત નીપજ્યું હતું.
આ પહેલા મુંબઈની હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે 99 વર્ષીય અસલમ ખાનનું પણ મોત નીપજ્યું હતું. દિલીપકુમારના બંને ભાઈઓ અહસાન ખાન અને અસલમ ખાનને કોરોના ચેપને કારણે 15 ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 ઓગસ્ટે અસલમ ખાનનું અવસાન થયું. દિલીપકુમારના ભાઈઓની સારવાર કરનાર ડોક્ટર જલીલ પારકરના મતે કોરોના ચેપને કારણે તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ ગયું હતું. દિલીપકુમારના બંને ભાઈઓને બાય-પેપ વેન્ટિલેટર પર બેસાડવામાં આવ્યા હતા. વયની સાથે સાથે તેના બંને ભાઈઓને બ્લડપ્રેશર અને હાર્ટને લગતી બીમારીઓ હતી, જેના કારણે મુશ્કેલી વધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.