ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગ્જારતમાં નોધાયેલા કુલ કેસમાંથી ૫૦ % કરતાં વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નિવેદનથી લોકોની ચિંતા માં વધારો થયો છે.
આજે અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરા એ નિવેદન કર્યું હતું કે અમદાવાદમાં દર ચાર દિવસે કેસ ડબલ થઇ રહ્યા છે. જે જોતા આગામી સમયમાં કોરોના પોઝિટિવ નો આંકડો વધવાની પુરી શક્યતાઓ છે આગામી 15 મી મેં સુધી માં આંકડો 50 હજાર સુધી પહોંચી શકે છે. લોકોએ વધુ જાગૃત થવાની જરૂરત છે. અમદાવાદ મનપા કમિશનર ના નિવેદન બાદ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. અને આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યાના વધારાની વાત થી ચિંતા વધી છે વિજય નહેરા એ સ્પષ્ટતા કરતા જણાવેલ હતું કે, કોરોના કેસ ડબલ સંખ્યામાં આવી રહ્યા છે તેથી આંકડો વધવા ની શક્યતા વધવાના એંધાણ વર્તાય રહ્યા છે. દર ચાર દિવસે કોરોનાના કેસ ડબલ થઇ રહ્યા છે તે ખુબ ચિંતાજનક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.