Not Set/ ઇઝરાયેલની કોરોનાની લડતમાં વિશેષ સિદ્ધિ, કચરામાંથી બનાવ્યું સેનિટાઇઝર

ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ સામે લડવામાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કચરામાંથી સેનિટાઇઝર બનાવ્યું છે. તેલ અવીવ યુનિવર્સિટીના પ્રોફેસર હદાસ મમ્ને અને તેમની ટીમ છેલ્લાં પાંચ વર્ષથી કચરાને રિસાયકલ કરવા અને તેને દારૂમાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેઓને હવે કચરામાથી સેનિટાઇઝર તરીકે ઉપયોગમાં લેવાતા ઇથેનોલ બનાવવાનો માર્ગ મળી ગયો છે. ઇઝરાયેલે […]

World

ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ સામે લડવામાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કચરામાંથી સેનિટાઇઝર બનાવ્યું છે. તેલ અવીવ યુનિવર્સિટીના પ્રોફેસર હદાસ મમ્ને અને તેમની ટીમ છેલ્લાં પાંચ વર્ષથી કચરાને રિસાયકલ કરવા અને તેને દારૂમાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેઓને હવે કચરામાથી સેનિટાઇઝર તરીકે ઉપયોગમાં લેવાતા ઇથેનોલ બનાવવાનો માર્ગ મળી ગયો છે.

ઇઝરાયેલે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન ઇથેનોલના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં સેનિટાઇઝર્સની વધતી વૈશ્વિક માંગ છે. તેણે કહ્યું કે અહીં અમારી પાસે ફેક્ટરીમાંથી કાગળના અવશેષો છે, ઝૂમાંથી કેટલાક સ્ટ્રો અને તેલ અવીવ પાલિકામાંથી એકત્રિત થયેલા ઘાસ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇથેનોલ શાકભાજીના સ્રોત જેવા કે શેરડી અથવા મકાઈમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ તે એક જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. પ્રોફેસરે કહ્યું કે અમારી સફળતા એ છે કે અમે આ પ્રક્રિયા ખૂબ નાના અને સસ્તા સ્કેલ પર કરવા માટે નાના પ્રમાણમાં ઓઝોનનો ઉપયોગ કર્યો છે.

હેડન મમ્નેએ કહ્યું, હવે આપણે એક રીતે ઇથેનોલ બનાવી શકીએ છીએ, જે પર્યાવરણ માટે સારું છે અને તે બનાવવું સરળ અને સસ્તું છે. નોધનીય છે કે, ઇઝરાઇલમાં 33 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જ્યારે 346 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.