ઉન્નાવનાં બહુચર્ચિત માખી દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની ટીમે એક આઈએએસ અને બે આઈપીએસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. આઈ.એ.એસ. અધિકારીઓ જિલ્લામાં ડી.એમ. રહ્યા છે જ્યારે બંને આઈ.પી.એસ. જિલ્લાનાં પોલીસ કેપ્ટન રહી ચૂક્યા છે.
સીબીઆઈએ આ જ કેસમાં ઉન્નાવનાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેના ભાઈ સહિત અન્ય આરોપીઓને દોષી ઠેરવ્યા છે. સીબીઆઈની ચાર્જશીટનાં આધારે સેંગરને આજીવન કેદની સજા પણ સંભળાવવામાં આવી છે. સજાને કારણે તેનુ વિધાનસભા સભ્યપદ પણ રદ્દ થઈ ગયુ હતુ. તપાસ દરમિયાન અધિકારીઓ શંકાસ્પદ જણાયા બાદ સીબીઆઈએ સરકારને પત્ર મોકલ્યો છે. માખી કોતવાલીનાં તત્કાલીન પોલીસ થાનાધ્યક્ષ આ કેસમાં પહેલાથી દોષી ઠેરવવામાં આવ્યા છે. તે પણ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે, ઉન્નાવમાં, કુલદીપ સેંગર અને તેના સાથીઓએ 2017 માં સગીર યુવતીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી. સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ પર, આ કેસ ઉત્તર પ્રદેશથી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને સમગ્ર સુનાવણી પણ ત્યાં જ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. દોષિત કુલદીપસિંહ સેંગર (53) ને 20 ડિસેમ્બર 2019 નાં રોજ બળાત્કારનાં કેસમાં તી હજારી કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે સેંગર પર 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ પછી, કુલદીપસિંહ સેંગરની યુપી વિધાનસભા સભ્યપદ રદ્દ કરવામાં આવ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.