Not Set/ એર ઈન્ડિયાનાં 5 પાયલોટ કોરોના પોઝિટિવ, વંદે ભારત મિશનને પડી શકે છે અસર

એર ઇન્ડિયાનાં પાયલોટ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. મલી રહેલી માહિતી અનુસાર, એર ઇન્ડિયાનાં 5 પાયલોટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઉડાનનાં 72 કલાક પહેલા કરવામાં આવેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું. આ તમામ પાયલોટ મુંબઇમાં છે અને પોઝિટિવ મળી આવ્યા બાદ તેમને યોગ્ય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. […]

India

એર ઇન્ડિયાનાં પાયલોટ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. મલી રહેલી માહિતી અનુસાર, એર ઇન્ડિયાનાં 5 પાયલોટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઉડાનનાં 72 કલાક પહેલા કરવામાં આવેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું.

આ તમામ પાયલોટ મુંબઇમાં છે અને પોઝિટિવ મળી આવ્યા બાદ તેમને યોગ્ય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. એર ઇન્ડિયાનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આ પાયલોટ કેટલાક દિવસો પહેલા કાર્ગો વિમાન સાથે ચીન ગયા હતા. આપને જણાવી દઇએ કે, એર ઇન્ડિયાનાં પાંચ પાયલોટ એક એવા સમયે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે મહત્વપૂર્ણ વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, એર ઇન્ડિયાનાં પાયલોટ પણ કોરોના લોકડાઉન વચ્ચે દેશનાં દૂરનાં વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ પહોંચાડવાની જવાબદારી સંભાળી રહ્યા છે.

જણાવી દઈએ કે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોનાં એર ઇન્ડિયા વિમાન પરત આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 800 થી વધુ ભારતીય વતન પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.