કચ્છઃ નલિયા દુષ્કર્મકાંડનો વિવાદ હજી સમેટાયો નથી ત્યાં કચ્છ જિલ્લામાં વધુ એક સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. અંજારના ભીમાસરની આંગણવાડીમાં કિશોરીને બચઉના લૂણાવાના શખ્સોએ લાલચ આપીને યુવતીનું અપહરણ કરીને તની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
એક તરફ બીજેપી દ્વારા ગુજરાતને મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિતનો પ્રયાસ કરવામાં રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બગડતી જઇ રહી છે. લૂંટ,ખૂન અને બળાત્કાર જેવી ઘટના સામાન્ય બનતી જઇ રહી છે. નલિયા દુષ્કર્મકાંડની ઘટનાથી PMO પણ હચમચી ગયું છે. આ સમગ્ર પક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.