વોશિંગ્ટનઃ કંસાસ ગોળીબારીમાં એક ભારતીય એન્જિનિયરનું મોત અને બે લોકોના ઘાયલ હોવાના મામલામાં વિપક્ષને નિશાન આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અમેરિકી સંસદમાં પોતાનું મૌન તોડ્યું છે. તેમને કંસાસ ગોળીબાર અને યહૂદી સેંટરને નિશાન બનાવવાની ધમકીને કડક શબ્દોમાં નિંદા કરી હતી. અને શ્રીનિવાસને શ્રદ્ધાંજલી આપી હતી.
અમેરિકી કોંગ્રેસમાં કંસાસ ગોળીબારીના પીડિતો માટે એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. તેના પછી ટ્રંપે કહ્યું કે, તે આવી ધુણા ફેલાવનારી ઘટનાઓની સખત્ત નિંદા કરે છે.
તેના પહેલા વ્હાઈટ હાઉસથી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રંપે કંસાસ ગોળીબારીની નિંદા કરી છે. તે મામલામાં ઘાયલ લોકોને જલ્દીમાં જલ્દી સ્વસ્થ હોનાની શુભકામનાઓ પાઠવી હતી. સાથે તેમને કહ્યું કે ધાર્મિક અને વંશીય હુમલાઓને અમેરિકામાં કોઈ સ્થાન નથી.
ઉલ્લેખનીય છે કે ગત બુધવારની રાત્રે કંસાસના એક બારમાં થયેલા ગોળીબારમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોટલાનું મોત થયું હતું અને બે અન્ય લોકો ઘાયલ થયા હતા, જેમાં એક ભારતીયનો સમાવેશ થાય છે.