આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહયું કે કોરોના રોગચાળો એક વૈશ્વિક પડકાર છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયો મળીનેતેનું સમાધાન શોધવુ પડશે. તેમણે લોકોને કોરોના અંગેના દિશા નિર્દેશોનું કડકાઇથી પાલન કરવા અનુરોધ કર્યો. સાપ્તાહિક સંવાદ કાર્યક્રમમાં આજે ડો. હર્ષવર્ધને ભાવી ઉપાયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે સરકારે કોરોના વેકસીન ઉપલબ્ધ કરવાની સમયસીમા નકકી કરવા ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના કરી છે.
ડોકટર હર્ષવર્ધને કહયું કે સરકાર વેકસીનના ઝડપી સપ્લાય અને સ્ટોરેજ અંગે સરકાર વેકસીન ઉત્પાદક કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહયું કે વેકસીન પરીક્ષણો પુરા થતાં જ હાઇ રીસ્કવાળા લોકોની સંખ્યાની આકારણી કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….