રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ સમય માત્ર માણસો માટે જ નહી પણ પશુ-પક્ષીઓ માટે પણ મોટો સંકટ બનીને આવ્યો છે. તાજેતરમાં રાજ્યનાં પાટનગર ગાંધીનગરનાં ડભોડા ગામ નજીક આવેલા વાંકાનેરડા ગામમાં વાનરોનો સતત મોત થઇ રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.
આપને જણાવી દઇએ કે, આ સિલસિલો ત્યારે શરૂ થયો જ્યારે આ ગામમાં વાનરોએ જંતુનાશક દવાયુક્ત શાકભાજી ખાવાનું શરૂ કર્યુ. 6 વાનરોનાં મોત બાદ અર્ધ બેભાન અવસ્થામાં ભાગેલા વધુ 3 વાનરોનાં મૃતદેહ આસપાસનાં વિસ્તારોમાંથી મળી આવ્યા છે. જ્યારે એક વાનરનાં બચ્ચાનું પાલજ નર્સરી ખાતે સારવાર દરમિયાન મોત થયુ હતુ. કપિરાજનો મૃત્યુઆંક હવે દસ પર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.