નવી દિલ્હીઃ કાળાનાણાંને પકડવા માટે સરકારે હવે ‘સ્વચ્છ’ અભિયાન શરૂ કર્યું છે. આવા અભિયાન દરમિયાન બજેટમાં ૩ લાખથી વધુની રોકડ લેવડ ઉપર પ્રતિબંધ લગાવાયો હતો. હવે સરકાર કાળાનાણાં માટે રચાયેલી એસઆઇટીની બીજી ભલામણોનો અમલ કરવા તૈયારી શરૂ કરી છે. સરકાર ટુંક સમયમાં જ ૧પ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ રાખવા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.
આ મામલામાં સરકારનું કહેવું છે કે જયારે ૩ લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ લાગુ થઇ જશે એટલે વધુ રોકડ રાખવાનું કોઇ લોજિક રહી નહિ જાય.
નાણામંત્રાલયના જણાવ્યા પ્રમાણે ફાયનાન્સ બિલ પાસ થયા બાદ ૩ લાખથી ઉપરની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ લાગુ થઇ જશે તે પછી સરકાર નવું પગલુ લેવાશે.
સરકારે આ મામલામાં ઉદ્યોગના લોકો સાથે વાતીચત પણ શરૂ કરી દીધી છે જોકે ૩ લાખથી વધુની રોકડ લેવડ-દેવડનો વિરોધ કેટલો વેપારી જુથોએ કર્યો છે સરકાર નથી ઇચ્છતી કે ૧પ લાખથી વધુની રોકડ રાખવાતા એલાન બાદ તેનો કોઇ વિરોધ ન થાય.