સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ચર્ચા ચાલી રહી છે. કંગના રનૌત તાજેતરમાં જ તેના ઇન્ટરવ્યુમાં સુશાંતની આત્મહત્યા વિશે વાત કરી હતી. તેણે તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કર પર પણ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ આ અભિનેત્રીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તે ટ્વિટર પર આ અંગે સતત પ્રતિક્રિયા આપી રહી છે, પરંતુ આ દરમિયાન સ્વરા ભાસ્કરે સુશાંતના પરિવારની માફી માંગી છે.
સ્વરાએ તેના ટ્વિટમાં લખ્યું, “આત્મનિરીક્ષણની એક ક્ષણ છે. મને લાગે છે કે આપણે #SushantSinghRajput પરિવારની માફી માંગવી જોઈએ. તેમને જેટલી વાર પણ ચર્ચામાં તેનું નામ વાંચ્યું પડ્યું હશે. સુશાંતની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આપણે તેની યાદોને ઉજવવી જોઈએ અને વિનમ્ર બનવું જોઈએ. “
Had an introspective moment. I think we owe #SushantSinghRajput ‘s family an apology 4 the number of times they must’ve read his name in our arguments. This is not about us. 🙏🏽 Sushant has a release coming up, let’s celebrate the memory of the bright life we lost. Let’s be kind.
— Swara Bhasker (@ReallySwara) July 21, 2020