જામનગરમાં વધુ એક કોરોના વોરિયર પોલીસ કર્મીનું કોરોનાનાં કારણે મોત નીપજ્યાની ગોઝારી ઘટના સામે આવી છે. જી હા, કોરોનાની સામેની લડાઇમાં કોરોનાનાં કપરાકાળમા ફ્રન્ટ લાઇનમાં રહી જે પોલીસ કર્મીઓ લડી રહ્યા છે, તેવા ફરી એક પોલીસ કર્મીનું કોરોનાનાં કારણે મોત નીપજતા ગમનો માહોલ જોવામાં આવી રહ્યો છે. જામનગરનાં આ મૃતક પોલીસ કર્મીને 3 દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા પોલીસ કર્મીને જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આજે બપોર બાદ તેમનુ કોરોના સામેની ફાઇનલ લડાઇમાં હારી જતા મૃત્યુ નીપજ્યું હતું. કોરોના વોરિયર પોલીસ કર્મીનું કોવિડ હોસ્પિટલ પરિસરમાં જ ગાર્ડ ઓફ ઓનર અપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચેતન જોશી નામના પોલીસ કર્મચારીનું કોરોનાથી મોત થતા સમગ્ર પંથક અને ખાસ કરીને જામનગર પોલીસ બેડામાં સન્નાટો છવાય ગયાનું પ્રતિત થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….