જોધપુરઃ કાળીયાર હરણ શિકાર મામલે 27 જાન્યુઆરીએ જોધપુરની સીજેણમમ ગ્રામીણ કોર્ટમાં ઓરોપીઓઓને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી આ મામલામાં ફસાયેલા સલમાન ખાન સહિતના સ્ટાર ગુરુવારે જોધપુર પહોચી ગયા હતા. કોર્ટ આ તમામ આરોપીઓને નિવેદન સાંભળશે.
રાજશ્રી પ્રોડક્શનના બેનરમાં બનેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શુંટિંગ મામલે વરસો પહેલા જોધપુરમાં આવેલા ફિલ્મી સિતારો વિરુધ હરણ શિકાર મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે.
તમામ આરોપીને હાજર થવાની તારીખ 25 જાન્યુઆરી આપી હતી. ત્યાર બાદ 27 જાન્યુઆરીના રોજ સુનવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુરુવારે સલમાન ખાન સાથે તબૂ, સૈફ અલી ખાન, નિલમ સોનાલી બેન્દ્રે પણ જોધપુર આવી પહોંચ્યા હતા. 1998 માં કંકારીયામાં સલમાન ખાન સહિત સ્ટાર પર કાળિયાર હરણના શિકારનો આરોપ લાગ્યો હતો.