કોરોના સંકટનાં પગલે લોકડાઉનનાં સંભવિત પાંચમા તબક્કાને લઈને મંથન શરૂ થઈ ગયું છે. કેબીનેટ સચિવ રાજીવ ગૌબા આજે તમામ રાજ્યોનાં મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે બેઠક કરશે. પ્રથમ વખત અસરગ્રસ્ત મહાનગરોનાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરો પણ આ બેઠકમાં ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે.
નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉન-4 નો અંત આવે તે પહેલાં ફરી એકવાર લોકડાઉન-5 ની આહટ સંભળાઇ રહી છે. 31 મે નાં રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરશે. સુત્રો કહે છે કે મન કી બાતમાં પીએમ મોદી ઘણું સાફ કરી શકે છે. સુત્રો કહે છે કે, બે અઠવાડિયા સુધી લોકડાઉનમાં વધારો લગભગ નિશ્ચિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.