રીંછના પ્રહારો વધી રહ્યાં છે અગાઉ પણ રીંછે હુમલો કરી ત્રણને મોતને ધાટ ઉતાર્યાની ધટના સામે આવી હતી.જ્યારે દાંતામાં સોમવારે વહેલી સવારના રોજ એક આધેડ કુદરતી હાજતે ગયાં હતાં.તેવા સમયે બે બચ્ચાં સાથે આવી ચઢેલા રીંછે તેમના પર હુમલો કરતાં માથુ ફાડી નાખ્યુ હતું.આ વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમને સારવાર અર્થે પાલનપુર સિવીલમાં લાવવામાં આવ્યા હતાં.
બનાસકાંઠાના જોરાપુરના હઠીસિંહ રણછોડસિંહ ચૌહાણ સોમવારે રીંછના પ્રહારનો ભોગ બન્યા હતાં.જ્યાં બે બચ્ચાં સહિત એક માંદા રીંછે તેમના પર હુમલો કર્યો હતો.અને હઠીસિંહનું માથુ ફાડી ખાધું હતું ઉપરાંત પગે,શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.રીંછના બચ્ચાંઓએ ચીચીયારીઓ પાડતાં માદા રીંછ ત્યા પહોચી જતાં હઠીસિંહે ઘર તરફ દોટ મૂકી હતી.લોહીલુહાંણ પરિસ્થિતીમા જોતાની સાથે જ પરિવારજનોએ તેમને સિવીલમાં ખસેડ્યાં હતાં.આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ડર વ્યાપી ગયો હતો.