નોટબંધીને લીધે જ્યા આખા દેશમા તારાજી સર્જાઈ છે ત્યા જ રાજકોટ જીલ્લાથી નોટબંધીને લીધે થયેલી, વધુ એક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે.
રાજકોટ જીલ્લાના આજી વાસહતના રહેવાસી ત્રીભુવનભાઈ સોલંકી ઉર્ફ મહેશભાઈની પુત્રીના લગ્ન હોવાથી નાણાની જરૂર ઉભી થતા તેમણે તેમના મિત્રો પાસેથી ઊછીના લેવાનુ નક્કી કર્યુ. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તારીખ 8 નવેંબર એ 500 તથા 1000 રૂપિયાની નોટબંધીની ઘોષણા કરતા તેઓના માટે મુસીબત સર્જાઈ હતી.


મહેશભાઈ એ તે બાદ રૂપિયાની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ નોટબંધી અને નાણાની અછતને લીધે તેઓ આ સગવડ કરી શક્યા ન હતા. દીકરીના લગ્નપ્રસંગે આવી પરિસ્થિતિ સર્જાતા તેમણે આપઘાત કરીને જીવન ટુંકાવી લીધુ હતુ.


