નવી દિલ્હીઃ પંજાબની ચૂંટણી આડા ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આપ,બીજેપી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા આજે પંજાબમાં ચંટણી સભા કરશે. પંજાબ ચૂંટણીની જાહેરાત બાદ પહેલીવાર એવું બનવા જઇ રહ્યું છે કે, મોદી, કેજરીવાલ અને રાહુલ ગાંધી ત્રણેય દિગ્ગજ નેતા પંજાબમાં એક જ દિવસે હાજર હશે. પંજાબમં 117 વિધાનસભાની સીટો માટે 4 ફેબ્રુઆરીએ મતદાન થશે.
પીએમ મોદી આજ જલંજધરમાં સભાને સંબોધન કરશે ત્યાર બાદ રવિવારે લુધિયાણામાં વધુ એક સભાને સંબોધન કરશે. કૉંગ્રેસ માટે ખુદ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર કરશે. તે અમૃતસરમાં સભાને સંબોધન કરશે. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પંજાબના પટિયાલામાં રોડ શો કરશે.