કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પરપ્રાંતિય મજૂરોનાં સ્થળાંતર માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તેમણે મોદી સરકારનાં ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે. શનિવારે રાહુલ ગાંધી રસ્તા પર આવીને પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા. રાહુલ ગાંધીએ દિલ્હીનાં સુખદેવ વિહાર ખાતે મજૂરો સાથે વાતચીત કરી હતી.
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુખદેવ વિહાર ફ્લાયઓવર નજીક પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા. વળી રાહુલ ગાંધીએ ફૂટપાથ પર બેસીને તેમના હાલચાલ પૂછ્યા હતા. તેમની થઇ રહેલી મુશ્કેલીઓને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ લોકો હરિયાણાથી પગપાળા તેમના ગૃહ રાજ્યમાં જઈ રહ્યા હતા, જેમા મોટાભાગનાં લોકો ઉત્તર પ્રદેશનાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ રસ્તાની બાજુમાં બેઠા હતા અને મજૂરો સાથે વાત કરી હતી. જે દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં નેતાઓએ અનેક વાહનોનો ઉપયોગ કરી મજૂરોને તેમના ઘરે મોકલ્યા હતા. મજૂરોને મળ્યા બાદ તેમણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિને સ્થળાંતર મજૂરોનાં સલામત ઘર પરત માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમણે ભારતીય યુથ કોંગ્રેસને પણ સૂચના આપી હતી કે પગપાળા ચાલતા મજૂરોને સલામત તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવામા આવે.
Delhi: Congress leader Rahul Gandhi today interacted with migrant labourers who were walking on Sukhdev Vihar flyover to return to their home states. pic.twitter.com/IgU3k474tn
— ANI (@ANI) May 16, 2020