ભર ચોમાસે પણ સરહદી તાલુકા એવા થરાદનાં 80 ગામનાં ખેડૂતો પાણી માટે સરકાર સામે જંગની કરી શરૂઆત કરી છે. કિશાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ એક દિવસના પ્રતીક ઉપવાસ કરી 80 કરતા વધુ ગામના લોકોએ પીવાનાં પાણીની સમસ્યા ઉકેલવા અને તેમના ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માંગ સાથે લેટર લખી કરી CM ને રજુઆત કરી છે. “પાણી અમારો હક છે ” નાં નારા સાથે મોટી સંખ્યા માં ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. પાણીની હાલાકી મામલે સરકારનું ધ્યાન દોરવા આજે ઉપવાસ પર બેસીને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. સત્વરે પાણીનાં પ્રશ્નનો ઉકેલ ન આવે તો આજના પ્રતીક ઉપવાસ એક મોટા આંદોલનને રૂપ આપે એવી શક્યતા જોવાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….