ભાવનગર જીલ્લાનાં મહુવામાં માર્કેટિંગ યાર્ડ 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા તાલુકા અને શહેરમાં કોરોનાને કેસ વધતા યાર્ડ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.16 જૂનથી 26 જૂન સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે. જી હા, તમામ કામગીરીમાં હરાજી સહિતની કામગીરી બંધ રખાશે. જોકે, યાર્ડ બોર્ડનાં સેક્રેટરી દ્વારા પરિપત્ર સાથે નોંધમાં જણાવવામાં આવ્યું છે કે, માત્ર શાકમાર્કેટ અને તેને લગતા કર્યો આ સમય દરમિયાન શરૂ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….