નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કચ્છમાં વીડિયો કૉંફ્રેસિંગ દ્વારા પર્યટન,સંસ્કૃતિ અને રમત ગમત મત્રાલયને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે પીએમએ જણાવ્યું હતું કે, રમતમાં સારા પરિણામ માટે દેશમાં રમત માટે અનુકૂળ માહોલ બનાવવો જોઇએ. રમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહી પરંતું અનુકૂળ વાતાવરણ પણ જરૂરી છે.
તેમણે કહ્યું કે, આપણે આપણી સંસ્કુતીઓ ખાન-પાન અને દેશની વિવિધતાઓથી વિશ્વને અવગત કરાવવા પડશે.
દેશમાં પર્યટનને વધારવા માટે મોદીએ કહ્યું કે, વિશ્વના પર્યટકોની રસના હિસાબથી પોતાના રાજ્યની મેપિંગ કરવી પડશે. આપણા દેશણાં વૈશ્વિક પર્યટનની અસિમ ક્ષમતા છે. આપણી વિરાસત અનોખી છે. અને સમૃદ્ધ છે. પરંતું આપણે તેને દુનિયા સામે સારી રીતે રાખી નથી શક્યા.