છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ચેરી ઘેડી પાસે મજૂરોને લઇને જતી એક બસની ટ્રક સાથે ટક્કર થઇ હતી, જેમા સાત મજૂરોનાં મોત નીપજ્યાં હતા. બસ મજૂરોને લઇને ઓડિશા ગંજમથી ગુજરાત જઇ રહી હતી
રાયપુરનાં એસએસપી અજય યાદવે કહ્યું કે, ઓડિશાનાં ગંજમથી ગુજરાતનાં સુરત મજૂરોને લઇને જઇ રહી બસની રાયપુરમાં ખેડી પાસે ટક્કર થઇ ગઇ હતી, જેમા સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સાત લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ હજી થઈ નથી. પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચી ગઇ છે.
Seven people killed, seven injured after a bus transporting labourers from Ganjam in Odisha to Surat in Gujarat, collided with a truck at Cheri Khedi in Raipur, early morning today: Ajay Yadav, SSP Raipur, Chhattisgarh pic.twitter.com/2f9pwxuJ6g
— ANI (@ANI) September 5, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.