ચેન્નઇઃ રાહુલ ગાંધીએ તમિલનાડૂના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પાક્ષના પ્રમુખ એમ.કરૂણાનિધિની મુલાકાત લીધી હતી. કરૂણાનિધિને ગુરુવાર રાત્રે અચાનક તબિયત બગતા ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને ગયા સપ્તાહે છુટ્ટી આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફરી તેમની તબિયત બગડી હતી. રાહુલ ગાંધી કરૂણાનિધિની સાથે મુલાકાત કરી હતી.
93 વર્ષીય કરૂણાનિધિ અંગે ડૉક્ટરઓ જણાવ્યું હતું કે, ગળા અને ફેફસાના ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
5 વાર તમિલનાડૂના મુખ્યમંત્રી રહેલા કરૂણાનિધિને 1 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને અલર્જીની સમસ્યા છે. એક સપ્તાહ બાદ હોસ્પિટલમાં ઇલાજ કર્યા બાદ 7 ડિસેમ્બરે તેમને છુટ્ટી આપી દેવામાં આવે છે. તેમને ઘરે આરામ કરવની સલાહ આપવામાં આવી હતી.ચેપ લગાવાથી બચાવવા માટે તે ઘણા સમયથી તે લોકોને પણ નથી મળી રહ્યા.પક્ષ દ્વારા પોતાન કાર્યકર્તાઓને હૉસ્પિટલ નહિ આવવા માટે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે.