બનાસકાંઠાઃ અંબાજી અમદાવાદ હાઈવે પર ચૂનો ભરેલી ટ્રક ટ્રાવેરા ગાડી પર પલટી મારતા ટ્રાવેરા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્મતાને પગેલ આજુબાજુમાં સ્થાનિક રહેતા લોકો મદદે આવી ફસાયેલા લોકોને ગાડીની બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર આણંદ તાલુકાનો પટેલ પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.
વહેલી સવારે અંબાજી નજીક અમદાવાદ હાઈવે પર એક ચૂનો ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી. ત્યારે ટ્રકના ડ્રાઈવેર અચાનક જ કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી ટ્રાવેરા ગાડી પર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ટ્રાવેરા કારનો કુચ્ચો બોલાઈ ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નપીજ્યાં હતાં. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી