ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે સવારે પવિત્ર યાત્રાધામ ચોટીલા પહોચ્યા છે. રાહુલ ગાંધીએ માં ચામુંડાના દર્શન પગપાળા કરીને જસદ, આટકોટની મુલાકાત લેશે અને ત્યાર બાદ પાટીદારોના આસ્થાધામ કાગવડમાં માં ખોડલના દર્શન કરશે. મુલાકાતના અંતિમ પડાવમાં તેઓ સુરેન્દ્રનગરમાં જશે.
મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ બે દિવસમાં વિવિધ સભા અને રોડ શો દ્વારા અનેક સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ મંગળવાર સાંજે રાજકોટમાં રોડ શો આયોજિત કર્યો હતો. ત્યાર બાદ રાજકોટના હેમુ ગઢવી હોલમાં જીએસટી મુદ્દે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ સંવાદ કર્યો હતો.