ભાજપના પૂર્વ નાણામંત્રી યશવંતસિન્હા દ્વારા નરેન્દ્રા મોદી સરકારની આર્થિક નીતિઓની ખુબ આલોચના કર્યા પછી રાજનીતિ માં માહોલ ગરમાઈ ગયો હતો.
હાલ ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી એ અલગ અંદાજમાં મોદી સરકાર પર પ્રકાર કર્યા હતાં.રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમારી અર્થવ્યવસ્થાના વિમાનના પંખા તૂટી ગયા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કોઈ ફ્લાઈટમાં થઇ રહેલ એનાઉન્સમેન્ટના અંદાજમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
તેમણે લખ્યું કે, લેડીઝ એન્ડ જેન્ટલમેન્ટ, આ તમારા કોપાયલટ અને નાણામંત્રી બોલી રહ્યા છે. મહેરબાની કરીને પોતાની સીટ બેલ્ટ બાંધી લો અને મજબૂતીથી સીટ લઇ લો, કેમ કે અમારા પ્લેનના પંખા તૂટી ચુક્યા છે.