ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એકવાર ગુજરાતની મુલકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ૯ થી ૧૧ ઓકટોબર સુધી મધ્ય ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લેશે તેમજ લોકો સાથે જન સંવાદ પણ કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની વિગતો આપી હતી. તેમના જણાવ્યા અનુસાર,
- રાહુલ ગાંધીનો આ પ્રવાસ અમદાવાદના હાથીજણ વિસ્તારથી શરૂ થશે.
- ત્યારબાદ રાહુલ ગાંધી પ્રથમ દિવસે મેમદાબાદ, નડિયાદ, ખેડા, આણંદ થઈ વડોદરા પહોંચશે.
- વડોદરામાં રાત્રિ રોકાણ કરી અને બીજા દિવસે બોરસદ, બોડેલી અને ફાગવેલમાં જનસભા સંબોધશે અને સામાન્ય જનતા સાથે સંવાદ કરશે.