રૂપિયા 500 અને 1000 ની નોટ ચલણ માથી સરકારે બંધ કરી દેતા કૉંગ્રેસ દ્રારા દેશ વ્યાપી વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે. સંસદ નાં બન્ને ગૃહ મા વિપક્ષ દ્રારા ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. તથા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ પ્રધાનમંત્રી ઉપર આકરા પ્રહારો કરવામા આવ્યા હતા.
આજે વડોદરા શહેરના સમા વિસ્તારમાં કેટલાંક કોંગ્રેસના કાર્યકરો વિરોધના મામલે એકત્ર થયા હતા. અને 5 થી 10 કાર્યકરો એ ભેગા મળી પ્રધાનમંત્રીનાં પૂતળાનું દહન કર્યુ હતુ. જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર આવી જતા ધરપકડ થી ડરી ગયેલાં કાર્યકરો સ્થળ પરથી ભાગી છુટ્યા હતાં.