Not Set/ સુરત/ કોરોનાએ લીધો વધુ એક તબીબનો ભોગ, 6 દિવસ પહેલા માતાનું થયું હતું મોત

રાજ્યમાં કોરોના કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. દિન પ્રતિદિન કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. સાથે સાથે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં સુરતમાં કોરોનાના લીધે વધુ એકનું મોત નીપજ્યું છે. શહેરમાં કોરોનાગ્રસ્ત ડો. દિલીપ મોદીનું મોત થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આપને જણાવી દઈએ કે […]

Gujarat Surat

રાજ્યમાં કોરોના કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. દિન પ્રતિદિન કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. સાથે સાથે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં સુરતમાં કોરોનાના લીધે વધુ એકનું મોત નીપજ્યું છે. શહેરમાં કોરોનાગ્રસ્ત ડો. દિલીપ મોદીનું મોત થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે 6 દિવસ અગાઉ કોરોનાથી તેમની માતાનું મોત નીપજ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં બુધવારે 82 કોરોના પોઝિટિવ આવતા કુલ 1492 કેસ થયા છે. જિલ્લાના તમામ 9 તાલુકામાં કોરોના સંક્રમણ સાથે સૌથી વધુ બારડોલી તાલુકામાં 23 કોરોના પોઝિટિવ આવ્યા છે. કામરેજ તાલુકામાં 2 વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મરણાંક 48 થયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.