Not Set/ સુરત/ ડાયમંડ ઉદ્યોગ ચાલુ રહેશે..? 250થી વધુ રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં…

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચવ્યો છે. રાજ્યમાં અનલોક 1.0માં સતત કોરોના ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે ગુજરાતમાં અમદાવાદ બાદ કોરોના કેસની સંખ્યા સુરત ખાતે વધુ જોવા મળી રહી છે. ગતરોજ પણ 176 જેટલા કોરોના કેસ એકસાથે બહાર આવ્યા હતા. ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગની પણ માઠી દશા બેઠી હોય તેવું લાગી […]

Gujarat Surat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચવ્યો છે. રાજ્યમાં અનલોક 1.0માં સતત કોરોના ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે ગુજરાતમાં અમદાવાદ બાદ કોરોના કેસની સંખ્યા સુરત ખાતે વધુ જોવા મળી રહી છે. ગતરોજ પણ 176 જેટલા કોરોના કેસ એકસાથે બહાર આવ્યા હતા.

ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગની પણ માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. અનલોક 1.0 ડાયમંડ ઉદ્યોગ ને માફક નથી આવ્યું. 250 થી વધુ રત્ન કલાકારો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.  મોટી સંખ્યામાં રત્ન કલાકરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાયમંડ ઉદ્યોગ ચિંતામાં મૂકાઇ ગયો છે. હાલમાં ડાયમંડ ઉદ્યોગના માવોદિ મંડળની બેઠક ચાલી રહી છે. બેઠકમા આ રત્ન કલાકારો અને તેમણે પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ જ યોગી નીરની લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.