Not Set/ સુશાંતના પિતાના વકીલનો દાવો- પરિવારને હતી કંઈ અનુચિત થવાની આશંકા, ફ્રેબ્રુઆરીમાં પોલીસને કરી હતી જાણ

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલે એક ટીવી ચેનલ સાથે વાત કરતા સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે સુશાંતના પિતાએ અગાઉ ફેબ્રુઆરીમાં બાંદ્રા પોલીસને કહ્યું હતું કે સુશાંત સારા લોકો સાથે નથી અને […]

Uncategorized Entertainment

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલે એક ટીવી ચેનલ સાથે વાત કરતા સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે સુશાંતના પિતાએ અગાઉ ફેબ્રુઆરીમાં બાંદ્રા પોલીસને કહ્યું હતું કે સુશાંત સારા લોકો સાથે નથી અને તેનો જીવ જોખમમાં છે.  

વકીલએ પણ દાવો કર્યો છે કે સુશાંતના મૃત્યુ પછી, પરિવારે પોલીસને એ વિશે તપાસ કરવા કહ્યું કે કોણ સુશાંતનું દિમાગ કંટ્રોલ કરી રહ્યું હતું, કોણ તેની મેડિકલ ટ્રીટમેન્ટનું ધ્યાન રાખી રહ્યું હતું. તો પણ તેઓ અલગ એન્ગલથી તપાસ કરી રહ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે પટના પોલીસ થોડી ખચકાતી હતી, પરંતુ મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને મંત્રી સંજય ઝાએ તેમને આ મામલો સમજાવ્યો અને પછી એફઆઈઆર નોંધાવવા ગયા. અમે ઇચ્છીએ છીએ કે પટના પોલીસ આ મામલે તપાસ કરે. પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

બીજી બાજુ પટના શહેર એસપી વિનય તિવારીએ જણાવ્યું હતું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને પ્રાથમિક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. કયા લોકોની પૂછપરછ કરવામાં આવશે તે કહેવું વાજબી નથી. સુશાંત સિંહ રાજપૂતના પિતાની એફઆઈઆરમાં નામ પામેલા તમામ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 નોંધપાત્ર વાત એ છે કે સુશાંતના પિતાએ એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો છે કે સુશાંતના તમામ બેંક એકાઉન્ટ્સ અને કાર્ડ્સ રિયા અને તેના પરિવારના નિયંત્રણમાં હતાં. સુશાંતે ઘણી વાર કહ્યું કે આ લોકો તેને પાગલખાનામાં નાખવા માંગે છે અને તે કંઇ પણ કરવામાં અસમર્થ છે. સુશાંત તેની બહેનોને મળવા ગયો ત્યારે રિયાએ તેના પર મુંબઈ પાછા જવાનું દબાણ કર્યું હતું. આ પછી સુશાંત સાથેની પારિવારિક ક્રિયાપ્રતિક્રિયા પણ ઓછી થવા લાગી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.