બિગ બોસ 13 ની સ્પર્ધક આરતી સિંહ અને અંકિતા લોખંડે એક સમયે ખૂબ સારા મિત્રો હતા. બંને એકબીજા સાથે ઘણો સમય વિતાવતા હતા. અંકિતા દ્વારા આરતીની ઓળખ સુશાંત સિંહ રાજપૂત સાથે થઈ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આરતી સિંહે ડિપ્રેશન વિશે ખુલાસો કરું છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ ડિપ્રેશનથી પીડિત હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.
આરતી સિંહે કહ્યું કે સુશાંત સિંહના મૃત્યુ બાદથી અંકિતા તેના આંસુ રોકી શકી નથી. બંને લગભગ છ વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા. આ વિશે આરતીએ કહ્યું કે તેણે અંકિતાનો સંપર્ક કર્યો અને તેણીના હાલચાલ પૂછ્યા. આરતીએ કહ્યું, ‘હું સુશાંતને માત્ર અંકિતાને કારણે જાણતી હતી. તે ખૂબ જ સારો છોકરો અને પ્રેરણાથી ભરેલો હતો. મેં અંકિતા સાથે વાત કરી અને પૂછ્યું કે હવે તે ઠીક છે કે નહીં. અંકિતાને હાલ સ્પેસની જરૂર છે અને મારે તેને તે સ્પેસ આપવી જોઈએ.
બિગ બોસ 13 ના ઘરમાં હતી ત્યારે આરતી સિંહ પણ ડિપ્રેશનમાં હતી. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ આરતી સિંહે ઘણી જૂની તસ્વીરો શેર કરી હતી જેમાં તે સુશાંત સિંહ અને અંકિતા સાથે પાર્ટી કરતી અને મસ્તી કરતી જોવા મળી હતી. આ શેર કરતી વખતે તેમણે સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.