અમદાવાદમાં રીક્ષા ચાલક યુનિયન દ્વારા આપવામાં આવેલી એક દિવસની હડતાલનો ફિયાસ્કો થયો છે. કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉનનાં કારણે રિક્ષાચાલકો આર્થિક રીતે પાયમાલ બન્યા હતા અને એટલા માટે સરકાર પાસે આર્થિક સહાય પેકેજ સહિત કુલ પાંચ મુદ્દા સાથે માંગણી કરવામાં આવી હતી.
જો કે સરકારે રિક્ષાચાલકોની માંગ ન સ્વીકારતાં આખરે રિક્ષાચાલક યુનિયન દ્વારા 7 જુલાઇ મંગળવારનાં રોજ એક દિવસની રીક્ષા હડતાલ જાહેર કરી હતી. આ હડતાલને 10 થી વધારે રીક્ષા સંગઠનોએ સમર્થન આપ્યું હતું. પરંતુ ઉલ્લેખનીય છે કે રીક્ષા ચાલકોની હડતાલ બાદ પણ સમગ્ર અમદાવાદ શહેરમાં રીક્ષાઓ ફરતી દેખાતા હડતાલનો ફિયાસ્કો થયો છે. હવે જોવાનું રહેશે કે આગામી 10 જુલાઇનાં રોજ જીએમડીસી ખાતે યોજાનારી રિક્ષાચાલકોની મહાસભાનું શું થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.