દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર બાયોપિક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં બનાવવામાં આવશે અને નિર્માતાઓ તેને 2022 માં રિલીઝ કરવાની યોજના બનાવી છે. સામાન્ય રીતે જાહેર જનતાની ફન્ડિંગ દ્વારા આ ફિલ્મનું ભંડોળ પૂરું પાડવામાં આવશે અને તેના માટે એક ઓફિશિયલ સોશિયલ મીડિયા પૃષ્ઠ હશે. નિખીલ આનંદ આ શીર્ષક વિનાના પ્રોજેક્ટને ડાયરેક્ટ કરશે.
આ વિશે આનંદે કહ્યું, “સુશાંત શારીરિક રીતે આપણી સાથે નથી તે હકીકતને સ્વીકારવી દુખદાયક છે. તે દરેક સામાન્ય માણસ માટે પ્રેરણા હતા જે મોટા માણસ બનવા માંગતા હતા. તે માત્ર એક ઉત્કૃષ્ટ કલાકાર જ નહોતો, પરંતુ એક બુદ્ધિમાન માણસની સાથે તે એક મહાન મનુષ્ય પણ હતા.હું આશા રાખું છું કે તે જ્યાં પણ છે ત્યાં ખુશ છે. તેમની પરની મારી ફિલ્મ તેમને શ્રદ્ધાંજલિ આપશે અને હવે સિનેમાની દુનિયામાં તેમને અમર બનાવવાનું મારું સ્વપ્ન છે. મારી એવી પણ અપેક્ષા છે કે તે વધુ લોકોને ઉદ્યોગનો ભાગ બનવા અને પરિવર્તન લાવવાની પ્રેરણા આપશે. મને આશા છે કે નકારાત્મકતા ઓછી થશે અને બોલીવુડ ભત્રીજાવાદ કરતા ટેલેન્ટને વધુ પ્રાધાન્ય આપશે. ”
આ પ્રોજેક્ટ માટે અનુસંધાન અને તૈયારીના ભાગ રૂપે, આનંદ ફિલ્મને વધુ સચોટ બનવા માટે સુશાંતના સંબંધીઓ, કુટુંબીઓ અને મિત્રોને મળવાની યોજના બનાવી રહ્યા છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 14 જૂન 2020 ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેમના મુંબઇના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. 34 વર્ષીય અભિનેતા છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. આ સિવાય સુશાંતની આત્મહત્યા પર પણ ઘણા મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુશાંતે આટલું મોટું પગલું કેમ ભર્યું તે અંગે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે. આ માટે પોલીસ તેમના નજીકના લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.