અમદાવાદઃ હાર્દિક પટેલ મંગળવારે શામળાજીથી ગુજરાત પ્રવેશ કરશે. આ સાથે જ હાર્દિકનો ગુજરાત બહાર રહેવાનો 6 મહિનાનો વનવાસનો અંત આવશે. દાર્દિક પટેલ ગુજરાતમાં પ્રવશતાની શાથે જ હિમંતનગરમાં બપોર બાદ ભવ્ય સભાને સંબોધન કરશે. ત્યાર બાદ સાંજે ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે મુલાકાત કરીને બેઠક કરશે. આ બેઠકમાં પાટિદાર અનામત સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
હાર્દિકને દેશદ્રોહના આરોપમાં જેલમાંથી 6 મહિના માટે રાજ્યની બહાર રહેવા માટે હાઇકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. 17 જાન્યઆરીના રોજ 6 મહિના પૂરા થતા હાર્દિક ફરી ગુજરાતમાં પ્રવેશ કરી શકશે.
હાર્દિક પટેલને આવકારવા માટે સમાજના યુવાઓ દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઇને ગામડે ગામડે ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.