નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને તેમના સહયોગી નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર આજે વડા પ્રધાને જાહેર કરેલા રૂ.20 લાખ કરોડનાં મેગા પેકેજ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે આજે સતત ત્રીજા દિવસે દેશ સમક્ષ આવ્યા હતા. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ અને લોકડાઉનથી થતાં નુકસાનમાંથી તેમણે અર્થવ્યવસ્થા અને દેશને સંભાળવા ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે, જેમાંથી 28,343 કરોડ ફક્ત પશુધન અને પશુપાલન માટે છે. જણાવી દઇએ કે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનાં નામે પોતાના સંદેશમાં કહ્યું હતું કે નાણાં પ્રધાન એક પછી એક સમાજનાં દરેક વર્ગ અને અર્થવ્યવસ્થાનાં દરેક ક્ષેત્રને મદદ કરવા માટે સરકારે લીધેલા પગલાઓની વિસ્તૃત માહિતી આપશે.
Animal Husbandry Infrastructure Development Fund of Rs 15,000 crores will be set up: FM Nirmala Sitharaman pic.twitter.com/dc6RmEXABH
— ANI (@ANI) May 15, 2020