મુંબઈમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ ઘટના કુર્લાના નેહરુ નગર નાઈક નગર સોસાયટીમાં રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 21 લોકો હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. BMC ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર 12 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને રાજાવાડી હોસ્પિટલ અને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગની સાથે એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. રાત્રે ઈમારત ધરાશાયી થયાની માહિતી મળતાં મંત્રી આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્યની સમીક્ષા કરી. આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેમાં કેટલાક લોકો રહેતા હતા.
ઘાયલો પૈકી કેટલાકની ઓળખ થઈ ગઈ છે. જેમાં ચૈત બસપાલ, સંતોષ કુમાર ગૌર, સુદેશ, રામરાજ, સંજય, આદિત્ય કુશવાહ, આબિદ અંસારી, ગોવિંદ ભારતી અને મુકેશ મોર્યાના નામ સામેલ છે. તેમાંથી કેટલાકને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેટલાક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં ત્યાં કામ કરતા બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. જણાવી દઈએ કે, ત્રણ માળની ઈમારતનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન તે ધરાશાયી થઈ ગઈ.
આ પણ વાંચો:ભારતે પાકિસ્તાનના 4 દૂતાવાસોના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, પાકે આ વિનંતી કરી