Not Set/ ઝેરી દારૂ પીવાથી અલીગઢનાં 7 લોકોનાં મોત, DM એ તપાસનો આદેશ આપ્યો

ઉત્તર પ્રદેશનાં અલીગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત નીપજ્યાં છે.

Top Stories India
1 36 ઝેરી દારૂ પીવાથી અલીગઢનાં 7 લોકોનાં મોત, DM એ તપાસનો આદેશ આપ્યો

ઉત્તર પ્રદેશનાં અલીગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં અલીગઢ એચપી ગેસ પ્લાન્ટનો ટ્રક ચાલક પણ હતો. આ ઉપરાંત લોધા ક્ષેત્રનાં કરસુઆ, નિમાના, હૈવતપુર, અંડલા ગામનાં ગામ લોકો પણ મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. સ્થાનિક હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.

ચોક્સી પર કોનું દબાણ / કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું – ચોકસીને ટોર્ચર કરાયો અને…

અલીગઢનાં ગામોમાં ઝેરી દારૂથી મોત થયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. આ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર ભૂષણ સિંહે કહ્યું કે, અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસમાં જે બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

શું છે મામલો?

અલીગઢનાં પોલીસ સ્ટેશન લોધા વિસ્તાર હેઠળ કરસુઆ ગામમાં ઝેરી દારૂ પીવાને કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે મૃતકો ગામમાંથી જ દારૂ પીધો હતો અને દારૂ ખરીદ્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી બે કરસુઆ સ્થિત એચપી ગેસ બોટલિંગ પ્લાન્ટનાં ડ્રાઇવર છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

કાશ્મીર વિવાદ / પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં વધુ બળથી ઉઠાવવો જોઈએઃ UNGA પ્રમુખ

ફરિયાદ બાદ દેશી દારૂનો ઠેલો સીલ કરાયો:

ગ્રામજનોની ફરિયાદને પગલે વહીવટી અને પોલીસ અધિકારીઓએ દેશી દારૂનો કરાર સીલ કરી દીધો છે. તેમજ દારૂનાં સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. તપાસ પછી જ જાણી શકાશે કે લોકો કેવી રીતે મોતને ભેટ્યા છે? શું ઠેકા પર નકલી દારૂ વેચાય છે? દરમિયાન ગ્રામજનો રોષે ભરાયા છે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

majboor str 21 ઝેરી દારૂ પીવાથી અલીગઢનાં 7 લોકોનાં મોત, DM એ તપાસનો આદેશ આપ્યો