Rajkot News/ રાજકોટની શિવ હોસ્પિટલ કેન્સર સર્જરી બાદ વિવાદ, સર્જરી પછી સુધારો નહીં, પરિવારનો આરોપ

રાજકોટમાં (Rajkot) એક ખાનગી હોસ્પિટલ સામે કેન્સરની સર્જરી બાદ દર્દીની હાલત વધુ ખરાબ થઈ હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. પીડિત પરિવાર એક વર્ષથી ન્યાય માટે દોડધામ કરી રહ્યો છે અને હવે સોશિયલ મીડિયા દ્વારા મદદની માંગ કરી રહ્યો છે.

Top Stories Gujarat Rajkot
Rajkot hospital controversy

રાજકોટ (Rajkot) શહેરની શિવ હોસ્પિટલ સામે એક પરિવાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પરિવારનો દાવો છે કે કેન્સરની સર્જરી માટે પહેલા 50 હજાર રૂપિયાનો ખર્ચ જણાવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન કુલ અંદાજે 4 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા. છતાં, સર્જરી બાદ દર્દીની તબિયત સુધરવા બદલે વધુ બગડી ગઈ.

પરિવારના કહેવા મુજબ, ઓપરેશન પછી ડોક્ટર તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવતું રહ્યું, પરંતુ યોગ્ય સારવાર અથવા સ્પષ્ટ જવાબ મળ્યા નહોતા. હાલ દર્દીની સ્થિતિ નાજુક હોવાનું પરિવાર જણાવી રહ્યો છે.

Shiv Hospital Rajkot
Shiv Hospital Rajkot

દીકરીએ ભણતર છોડીને ન્યાય માટે લડત શરૂ કરી

આ કેસમાં સૌથી વ્યથિત કરનાર બાબત એ છે કે ધોરણ 9માં ભણતી દીકરીએ પિતાને ન્યાય મળે તે માટે પોતાનું ભણતર તાત્કાલિક બંધ કર્યું છે. સગીરાએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી રાજ્ય અને દેશના નેતાઓ સમક્ષ મદદની અપીલ કરી છે.

પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી બની ગઈ છે. માતા હાલમાં ચોકીદાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. એક તરફ પિતાની સારવારનો ખર્ચ અને બીજી તરફ રોજિંદા જીવનની જવાબદારીઓ – બંને વચ્ચે પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે.

રાજકોટ (Rajkot) મનપામાં ફરિયાદ છતાં ઉકેલ નહીં

પરિવારે શિવ હોસ્પિટલ સામે રાજકોટ મહાનગરપાલિકામાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પરંતુ પરિવારનો આક્ષેપ છે કે હજી સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી અથવા ન્યાય મળ્યો નથી.

પરિવારનો વધુમાં આરોપ છે કે જ્યારે તેમણે ડોક્ટરને ભૂલ વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભૂલ સ્વીકારવા બદલે તેમને ધમકાવવામાં આવ્યા. આથી પરિવાર માનસિક તાણ અને ભયમાં જીવી રહ્યો છે.

સરકાર સમક્ષ અપીલ

પીડિત પરિવારે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રીને વીડિયો સંદેશ મોકલી યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો હાલ પરિસ્થિતિ અલગ હોઈ શકતી.

એક વર્ષથી પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે, પરંતુ હજી સુધી તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી. હવે તેઓ સરકાર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.આ મામલો માત્ર એક પરિવારનો નથી, પરંતુ ખાનગી હોસ્પિટલોની કામગીરી અને પારદર્શકતાને લઈને ઉઠતા પ્રશ્નો તરફ પણ ઈશારો કરે છે.


આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો

આ પણ વાંચો:જામનગરમાં શોભાયાત્રામાં 45 વર્ષમાં પહેલી જ વખત ડીજે બંધ રખાતા શ્રદ્ધાળુઓ લાલઘૂમ

આ પણ વાંચો:કીર્તિ પટેલનું વધુ એક કરનામું, ભગવા વસ્ત્રોમાં સાધુઓ વચ્ચે મૃગીકુંડમાં લગાવી ડૂબકી, સંતોમાં રોષ