બિહારના ગોપાલગંજ જિલ્લામાં એક ખાંડની મિલમાં બોયલર ફાટતા ચાર મજુરોના મોત થયા છે. મિલમાં લગભગ 100થી વધુ મજુરો કામ કરતા હતાં. બુધવાર લગભગ 11 વાગ્યાની આસપાસ મિલમાં બોયલર ફાટ્યું હતું.

હોસ્પીટલના સુત્રોના જણાવ્યાં મુજબ, મોટાભાગના લોકો 90 ટકાથી વધુ દાઝી ગયા છે. સ્થાનિક લોકોએ મિલને ખાલી કરાવીને તપાસ શરૂ કરી દીધી છે.

મૃતકોમાં અર્જુન કુશવાહ, કૃપા યાદવ, અને શમ્સુદ્દીન સામેલ છે, ઘાયલ લોકોમાં મોહમ્મદ હરુલ, પારસનાથ પ્રસાદ, બિકરમા યાદવ, રવીન્દ્ર યાદવ, સામેલ છે.
#UPDATE: Death toll rises to 5 in Gopalganj boiler blast #Bihar
— ANI (@ANI) December 21, 2017
લોકોનું કહેવું છે કે, બોઇલરની તપાસ કર્યા વગર જ મિલનું કામ ચાલુ કરાઈ દેવાયું હતું. બોઇલર જુનું હતું. બોઈલર ફાટતા ચારે બાજુ ગરમ પાણી ઉડ્યું હતું. જેમાં ત્રણ મુજુરોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતાં. અને કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતાં. પોલીસે મિલના માલિકની ધરપકડ કરી હતી.
