ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરએ આજ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં ખેલાડીઓના ફેરફાર પર સવાલ ઉઠાવ્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, શિખર ધવને જ કેમ બહાર નીકાડ્યો. ઓપનીગ બેટ્સમેનના માથે હંમેશા તલવાર લટકતી જ રહેતી હોય છે.
ટીમ ઇન્ડિયાએ ટીમમાં ત્રણ બદલાવ કર્યા છે. ઓપનીગ શિખર ધવન બદલે કેએલ રાહુલ, અને ભુવનેશ્વરના બદલે ઇશાંત શર્મા અને રીદ્ધીમાન સહા બદલે પાર્થિવ પટેલ મેચમાં સમાવેશ કર્યો છે.
ગાવસ્કરે કહ્યું કે, શિખર ધવને બલીનો બકરો બનાવામાં આવ્યો છે. બસ એક ખરાબ રીતે રમત રમ્યા પછી ખિલાડીને બહાર કરી દેવામાં આવે છે.
ગાવસ્કરે કહ્યું કે મને સમજાતું નથી કે ભુવનેશ્વરના બદલે ઇશાંત શર્માને કેમ પસંદ કરવામાં આવ્યો. ઇશાંત શર્મા સામી અથવા ભુવનેશ્વર કુમારની જગ્યા લઈ શકતો હતો. પણ ભુવનેશ્વર કુમારને ટીમની બહાર રાખવો એ મારી સમજમાં નથી આવતું.